hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobetmatadorbet

રાયગઢનાં ભૂસ્ખલન વિસ્તારમાંથી આવી રહી છે મૃતદેહોની દુર્ગંધ, અત્યાર સુધીમાં 27ના મોત, 81 લાપતા, બચાવ ચાલુ

HomeCountry

રાયગઢનાં ભૂસ્ખલન વિસ્તારમાંથી આવી રહી છે મૃતદેહોની દુર્ગંધ, અત્યાર સુધીમાં 27ના મોત, 81 લાપતા, બચાવ ચાલુ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. મહ

જમ્મુ-કાશ્મીર: સીઆરપીએફની ગાડી સિંધ નદીમાં ખાબકી, 9 જવાન ઘાયલ
Alert News:કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, 49 લોકોના મોત, બેફામ ટ્રકે લોકોને ચગદી નાંખ્યા
 નાના બાળકોને શરદી અને ઉધરસ માટે અપાતા આ કફ સિરપ પર ભારતે પ્રતિબંધ મૂક્યો

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનમાં પુરા ગામ દટાઈ ગયું હતું. અહીં ત્રણ દિવસથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

કાટમાળમાંથી અત્યાર સુધીમાં 27 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 81 લોકો હજુ પણ લાપતા છે. ખરાબ હવામાનને કારણે રાહત અને બચાવ કાર્યમાં વધુ મુશ્કેલી પડી રહી છે. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં મૃતદેહોમાંથી દુર્ગંધ આવી રહી છે. આ પછી ઈરશાલવાડી અને નાનીવલી ગામમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

આજે ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી 

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના અધિકારીઓએ શનિવારે રાત્રે જણાવ્યું કે રવિવારે સવારથી શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફના અધિકારીના જણાવ્યા અનુસાર, શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ થયા બાદ હજુ સુધી કોઈ શબ મળી શક્યું નથી.

ખરાબ હવામાન શોધ અને બચાવ કામગીરીમાં વિલન બની ગયું

રાહત અને પુનર્વસન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તાજેતરના આંકડા મુજબ ગામની વસ્તી 229 હતી અને હાલમાં 98 લોકોને અસ્થાયી શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ દીપક તિવારીએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે અધિકારીઓને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કાટમાળમાં દટાયેલા મૃતદેહો પણ સડવા લાગ્યા 

જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે કાટમાળ નીચે દટાયેલા મૃતદેહો પણ સડવા લાગ્યા છે. હવે લોકોને જીવતા બહાર કાઢવાની કોઈ આશા નથી. તેમ છતાં લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન, વહીવટીતંત્રે 6 ભૂસ્ખલનગ્રસ્ત ગામોના 147 પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા છે.

સીએમ શિંદે ભૂસ્ખલનમાં અનાથ બાળકોને દત્તક લેશે

આ ઘટનામાં અનેક બાળકો અનાથ બન્યા છે, તેમના માથી માતા-પિતાનો પડછાયો જતો રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તે બાળકો માટે મોટી જાહેરાત કરી છે. સીએમ એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે જે બાળકોએ તેમના માતા-પિતા બંને ગુમાવ્યા છે તેમને દત્તક લેવામાં આવશે. શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન દ્વારા 2 થી 14 વર્ષની વયજૂથના અનાથ બાળકોની સંભાળ લેવામાં આવશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0