મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ગોળીબારમાં ચારના મોત, અનેકને ઈજા, કરફ્યુ લદાયો

HomeCountry

મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ગોળીબારમાં ચારના મોત, અનેકને ઈજા, કરફ્યુ લદાયો

મણિપુરમાં ફરી હિંસા ભડકી છે અને ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે તથા અનેક ઘાયલ થયા છે. પ જિલ્લામાં કફર્યુ લદાયો છે. મણિપુરમાં નવા વર્ષનો પ્રથમ દિવ

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અક્સ્માત: પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર: તથ્યનું લાઇસન્સ આજીવન રદ
સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 24 ગાયના મોત, મહુવા-સુરત પેસેન્જર ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં TMCનો વિજય ડંકો,જાણો ભાજપ-કોંગ્રેસની સ્થિતિ

મણિપુરમાં ફરી હિંસા ભડકી છે અને ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે તથા અનેક ઘાયલ થયા છે. પ જિલ્લામાં કફર્યુ લદાયો છે.

મણિપુરમાં નવા વર્ષનો પ્રથમ દિવસ પણ શાંતિપૂર્ણ નથી, ફરી ફાટી નીકળેલી હિંસા દરમિયાન ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતાં. આ સિવાય અન્ય ઘણાં લોકો ઘાયલ થયા છે. આ પછી, રાજ્યની ખીણમાં સ્થિતિ પાંચ જિલ્લામાં ફરી કફર્યુ લાદવામાં આવ્યો છે. થોબલ જિલ્લાના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્વચાલિત હથિયારોથી સજજ કેટલાક યુવાનોનું એક જૂથ રિકવરી માટે આવ્યું હતું. તે જ સમયે, મણિપુરના મુખ્યમંત્રી અને બિરેનસિંહે એક વીડિયો સંદેશમાં આ હુમલાની નિંદા કરી છે.

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું નિર્દોષ લોકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. તેમણે કહ્યું કે અમે ગુનેગારોને પકડવા માટે પોલીસ ફોર્સ રવાના કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હું હાથ જોડીને લોકોને અપીલ કરું છું કે તેઓ ગુનેગારોની ધરપકડ કરવામાં સરકારને મદદ કરે. તેમણે વધુમાં કહ્યું કે હું વચન આપું છું કે સરકાર ન્યાય આપવા માટે તમામ કાયદાકીય શક્તિઓનો ઉપયોગ કરશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0