hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyusha

બહેન પરિવારનો હિસ્સો, નથી : ભાઇની જગ્યાએ દયાભાવનાં આધારે નોકરી મળી ન શકે : હાઇકોર્ટ

HomeCountry

બહેન પરિવારનો હિસ્સો, નથી : ભાઇની જગ્યાએ દયાભાવનાં આધારે નોકરી મળી ન શકે : હાઇકોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે ભાઈના મૃત્યુય પછી તેની બહેનને રહેમિયતના આધારે નોકરી આપી શકાય નહીં. આ સાથે કોર્ટે સ્પ ષ્ટ કર્યુ

જુની પેન્શન યોજના સામે આરબીઆઈની રાજ્યોને લાલબત્તીઃ વધશે સાડા ચારગણો બોજો
અદાણી ગ્રુપ પર ગ્લોબલ સંસ્થા દ્વારા બેનામી રોકાણ ફંડો દ્વારા શેર-ગોટાળાનો આરોપ
ફરી એકવાર હસીના સરકાર, પાંચમી વખત બાંગ્લાદેશની કમાન સંભાળશે, વિપક્ષે કર્યો હતો ચૂંટણીનો બહિષ્કાર

કર્ણાટક હાઈકોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે ભાઈના મૃત્યુય પછી તેની બહેનને રહેમિયતના આધારે નોકરી આપી શકાય નહીં. આ સાથે કોર્ટે સ્પ ષ્ટ કર્યું છે કે બહેન પરિણીત ભાઈના પરિવારનો ભાગ નથી. હાઇકોર્ટે કર્ણાટક સિવિલ સર્વિસીસ (કમ્પેયશનેટ ગ્રાઉન્સ્ તે પર નિમણૂક) નિયમો, ૧૯૯૯ હેઠળ ‘કુટુંબ’ની વ્યાકખ્યાતમાંથી બહેનને બાકાત કરી છે. હાઈકોર્ટે એક મહિલાના દાવાને ફગાવી દીધો જેમાં તેણે તેના ભાઈની જગ્યાાએ રહેમદાર નિમણૂકની માંગ કરી હતી. મહિલાના ભાઈનું ૨૦૧૬માં ફરજ પર દરમિયાન મૃત્યુદ થયું હતું. તેનો ભાઈ બેંગલુરુ ઇલેક્ટ્રિાક સપ્લાોય કંપનીમાં જુનિયર લાઇન મેન તરીકે કામ કરતો હતો.

આ કેસની સુનાવણી કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિ સ પ્રસન્ના બી વરાલે અને જસ્ટિ્સ કૃષ્ણાસ એસ દીક્ષિતની ડિવિઝન બેન્ચેમ કહ્યું કે નિયમ ૨ (૧) (b) જણાવે છે કે સરકારી નોકરીમાં મૃત વ્યપક્તિ્ના કિસ્સાચમાં તેની વિધવા, પુત્ર કે પુત્રી, જેઓ આશ્રિત છે અને તેની સાથે રહે છે, ફક્ત૧ તેને જ પરિવારનો સભ્યા ગણવામાં આવશે.

હાઈકોર્ટે જણાવ્યુંત હતું કે અપીલકર્તા તેના ભાઈની આવક પર નિર્ભર છે તે સ્થાેપિત કરવા માટે કેસમાં રેકોર્ડ પર કોઈ સામગ્રી રજૂ કરવામાં આવી ન હતી અને ન તો મૃતકનો પરિવાર આર્થિક સંકટમાં હતો તેવો કોઈ પુરાવો આપવામાં આવ્યોટ નથી, જે તેના દાવાને યોગ્યા ઠેરવી શકે. આને ધ્યાથનમાં રાખીને પરિવારના સભ્યોમની પણ વિચારણા કરવામાં આવી હતી.

હાઈકોર્ટે કહ્યું કે તે લાંબા સમયથી સ્થાોપિત સ્થિકતિ છે કે માત્ર મૃત કર્મચારીના પરિવારનો કોઈ સભ્યર જ દયાના આધારે નિમણૂક માટે દાવો કરી શકે છે. તેમાં પણ, મૃત્યુસ પામેલા કર્મચારી પર નિર્ભરતાની પુષ્ટિ કરવા માટે સામગ્રી રજૂ કરવાની રહેશે. કોર્ટે પુનરોચ્ચા ર કર્યો કે અનુકંપાનાં ધોરણે નિમણૂક એ બંધારણની કલમ ૧૪ અને ૧૬ માં સમાવિષ્ટ જાહેર રોજગારમાં સમાનતાના સામાન્યચ નિયમનો અપવાદ છે અને તેથી, આવી નિમણૂક માટેના નિયમોનું સખત રીતે અર્થઘટન કરવાની જરૂર છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0