સુરતના ચોકબજા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરવાનાં ઈરાદે આવેલા યુવાનને માર મારવામાં આવ્યા તેનું નિપજ્યું હતું. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીને સુરત
સુરતના ચોકબજા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરવાનાં ઈરાદે આવેલા યુવાનને માર મારવામાં આવ્યા તેનું નિપજ્યું હતું. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.
વિગત એવી છે કે ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં 2022માં શૈલેષ કેશવલલાલ બોડાણાના મકાનમાં ચોરી કરવાના ઈરાદે દિપક મનોજ ડાભી ઘૂસ્યો હતો. હોબાળો થતાં એકત્ર થયેલા લોકો પૈકી પાંચ જણાએ ચોરી કરવા આવેલા યુવાનને માર માર્યો હતો. માર મારવામાં આવતા યુવાનનું મોત નિપજ્યું હતું. ચોક બજાર પોલીસે હત્યા ગુનો દાખલ કરી પાંચ યુવાનોની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ ફાઈલ કરી હતી.

એડવોકેટ વસીમ શેખ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા જલંધર ઉર્ફે અત ચંદેશ્વર સદા વતી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ વસીમ શેખની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના 25 હજાર સહિત શરતો સાથે જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.


COMMENTS