hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા ચારના મોત, અન્યોની શોધખોળ, 12 દબાયા હોવાની આશંકા

HomeGujarat

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા ચારના મોત, અન્યોની શોધખોળ, 12 દબાયા હોવાની આશંકા

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટનામાં 4 વ્યક્તિનાં મોત થયાં છે, જે તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે તેમજ મૃ

સુરત BRTS રુટમાં અક્સ્માતો: વિવાદાસ્પદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયકનો ચાર્જ છીનવાયો
કેનેડામાં વધુ એક મંદિરમાં તોડફોડ, ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવવામાં આવ્યા
ગાડીઓમાં વધુ મુસાફરો બેસાડનારને થશે ‘ઓન ધ સ્પોટ’ ભારે દંડઃ જાહેરનામાની તૈયારી

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટનામાં 4 વ્યક્તિનાં મોત થયાં છે, જે તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે પોલીસતંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા 5 કલાકથી પણ વધુ સમયથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હજુ લગભગ છ જણ અંદર દટાયાની આશંકા છે, જેમાં બાળકોનો સમાવેશ છે.

શહેરમાં શનિવારે ભારે વરસાદ વરસ્યો હતો. મકાન જૂનવાણી હતું, વધારે વરસાદ પડતા પણ આમ બન્યું હોવાની શક્યતા છે.

આજે દાતાર રોડ પર આવેલું એક માળનું મકાન ધરાશાયી થયુ હતુ. આ મકાનની નીચે દુકાન પણ આવેલી છે. શિવ માર્કેટ પાસે આવેલુ મકાન ધરાશાયી થતા લોકોની ભીડ જામી ગઈ હતી. જો કે, ઘટનાની જાણકારી મળતાની સાથે ઘટના સ્થળે મનપાની ટીમ, પોલીસ અને NDRF ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0