ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ. જયશંકર ફરી એકવાર રાજ્
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ. જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે, જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો c અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી ર૪ જુલાઈએ યોજાવાની હતી, પરંતુ હવે ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમાં ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતાં. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉં.વ. ૮૩ વર્ષના છે, અને રાજસ્થાનમાં રહે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય ઉમેદવારોની શપથવિધિ તા. ર૦ જુલાઈના સંસદમાં થશે.


COMMENTS