છત્તીસગઢમાં સાંઈમંત્રી મંડળનું વિસ્તરણઃ 9 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

HomeCountryPolitics

છત્તીસગઢમાં સાંઈમંત્રી મંડળનું વિસ્તરણઃ 9 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં સવારે 11.45 વાગ્યાથી શર

ચંદ્રયાનને પબ્લિસીટી સ્ટંટ ગણાવતા રાજકોટના રમેશ ફેફરની થઇ અટકાયત
ઈમરાન ખાનને મળી રાહત, ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં જામીન અરજી મંજૂર કરી
69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: આલિયા-કૃતિને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો, અલ્લુ અર્જુન બન્યો શ્રેષ્ઠ અભિનેતા

છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં સવારે 11.45 વાગ્યાથી શરૃ થયો હતો. કેબિનેટમાં કુલ 12માંથી 6 ઓબીસી,3 આદિવાસી, 2 સામાન્ય અને 1 એસી છે. હજુ એક જગ્યા ખાલી છે.

રાજ્યમાં 13 સભ્યોની કેબિનેટ છે. આ પહેલા 13 ડિસેમ્બરે વિષ્ણુદેવ સાંઈએ રાયપુરની સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. રાજયપાલ વિશ્વભૂષણ હરિચંદને તેમને શપથ લેવડાવ્યા હતાં.

અરૃણ સાઓ અને વિજય શર્માએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1