hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

આઘાત:બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું 81 વર્ષની વયે નિધન, અનેક ફિલ્મોમાં લખ્યા હતા સુપરહિટ ગીતો

HomeEntertainment

આઘાત:બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું 81 વર્ષની વયે નિધન, અનેક ફિલ્મોમાં લખ્યા હતા સુપરહિટ ગીતો

બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું આજે સવારે નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતાં. દેવ કોહલીને તાજેતરમાં અંધેરીની એક હોસ્પિટલમાં વય સંબંધિત બીમારીઓને ક

વિપક્ષ INDIA ને ફટકો; દિલ્હી સેવા બિલ પણ રાજ્યસભામાંથી પાસ, તરફેણમાં 131 અને વિરોધમાં 102 મત પડ્યા
સુરત: બોગસ સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ મોબાઈલમાં જ ઈસરો સંબંધિત બોગસ સર્ટિફેકટ કર્યા હતા તૈયાર 
ટેન્કરમાં RDX અને પાકિસ્તાની નાગિરકો: બોગસ આતંકી ધમકી આપનાર નિલેશ દેવપાંડેની ધરપકડ, ટ્રક ડ્રાઈવર સામે બદલો લેવા રચ્યું હતું કાવતરું

બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું આજે સવારે નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતાં. દેવ કોહલીને તાજેતરમાં અંધેરીની એક હોસ્પિટલમાં વય સંબંધિત બીમારીઓને કારણે બે-ત્રણ મહિના માટે દાખલ કરવામાં પણ આવ્યા હતા. તમામ સારવાર કરાવ્યા બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. લવભગ ૧૦ દિવસ પહેલા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા હતાં. આ પીઢ ગીતકારનું આજે સવારે ૪ વાગ્યે નિંદ્રામાં અવસાન થયું હતું. દેવ કોહલીના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

દેવ કોહલીએ લાલ પથ્થર, મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, બાઝીગર, જુડવા ર, મુસાફિર, ઈશ્ક, શૂટઆઉટ એટ લોખંડવાલા, ટેકસી નંબર ૯૧૧, જેવી ૧૦૦ થી વધુ ફિલ્મો માટે સેંકડો સુપરહિટ ગીતો લખ્યા હતાં. દેવ કોહલીએ સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ મૈને પ્યાર કિયા માટે કબૂતર જા જા, આજા શામ હોને આઈ, આતે જાતે હસ્તે ગાતે, કહે તોસે સજના જેવા સુપરહિટ ગીતો લખ્યા હતાં.

આ સિવાય ગીતા ગાગા હૂં મૈ (લાલ પથ્થર), માઈ ના માઈ મુંડેર પર તેરી બોલ રહા હૈ કાગા (હમ આપકે હૈ કૌન) કાલી કાલી આંખે (બાઝીગર) ચલતી હૈ કયા નૌ સે બારહ (જુડવા ર) ઓ સાકી સાકી (મુસાફિર) જેવા ગીતો પણ દેવ કોહલી દ્વારા લખવામાં આવ્યા હતાં. દેવ કોહલીએ પોતાની કારકિર્દીમાં રામ લક્ષ્મણથી લઈને અન્નુ મલિક, આનંદ મિલિંદ, આનંદ રાજ આનંદ સુધીના ઘણા મોટા સંગીતકારો સાથે કામ કર્યું હતું.

દેવ કોહલીના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને બપોરે બે વાગ્યાથી મુંબઈમાં તેમના લોખંડવાલા સ્થિત ઘરે રાખવામાં આવશે. આ ઉપરાંત તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કવિ અને ગીતકાર દેવ કોહલીનું તેમના ઘરે નિધન થયું છે. હાલ મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0