hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

“વિપક્ષ છેલ્લા બોલે સિક્સર મારવા માંગે છે”: PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવને ‘અવિશ્વાસ’થી ભરેલો ગણાવ્યો

HomeCountryPolitics

“વિપક્ષ છેલ્લા બોલે સિક્સર મારવા માંગે છે”: PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવને ‘અવિશ્વાસ’થી ભરેલો ગણાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે 'ઈન્ડિયા' પર નિશાન સાધતા મંગળવારે કહ્યું કે વિપક્ષ પોતે

અમેરિકાનાં વ્હાઈટ હાઉસમાંથી કોકેઈન મળી આવતા ખળભળાટ, સિક્રેટ સર્વિસ દ્વારા તપાસનો ધમધમાટ
સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ, દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વાદળો વરસશે, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ
દ્વારકા પહોંચેલી કંગના રણૌતે આપ્યા લોકસભા ચૂંટણી લડવાના સંકેતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ‘ઈન્ડિયા’ પર નિશાન સાધતા મંગળવારે કહ્યું કે વિપક્ષ પોતે જ અવિશ્વાસથી ભરેલો છે, તેથી  સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા આ વાત કહી. બેઠકમાં હાજર એક બીજેપી સાંસદના જણાવ્યા અનુસાર મોદીએ કહ્યું કે વિપક્ષ અવિશ્વાસથી ભરેલો છે અને તે બતાવવા માટે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદીએ વિપક્ષી ગઠબંધનને “અહંકારી” ગણાવ્યું હતું અને પાર્ટીના રાજ્યસભાના સભ્યોને દિલ્હી સેવા બિલ પર મતદાનમાં સેમી-ફાઇનલ વિજય માટે અભિનંદન આપ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે પીએ મોદીએ કહ્યું કે કેટલાક વિપક્ષી સભ્યોએ રાજ્યસભામાં મતદાનને 2024ની લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઇનલ ગણાવ્યું હતું. વિપક્ષ છેલ્લા બોલે સિક્સર મારવા માંગે છે.

દિલ્હી સર્વિસ બિલને સોમવારે સંસદની મંજૂરી મળી ગઈ કારણ કે રાજ્યસભાએ બિલ પસાર કર્યું. લોકસભામાં સત્તાધારી પક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નિષ્ફળતા નિશ્ચિત માનવામાં આવે છે. તેમણે તેમના 2018ના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે વિપક્ષને 2023માં તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કહ્યું હતું.

વિપક્ષી પક્ષો પર નિશાન સાધતા વડા પ્રધાને કહ્યું કે તેમના નેતાઓ સામાજિક ન્યાયની વાત કરે છે, પરંતુ તેમણે વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજકારણ દ્વારા સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણની રાજનીતિને ખતમ કરવાનો આ સમય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0