hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય વળાંક! અજિત પવાર સહિત તમામ બળવાખોર નેતાઓ શરદ પવારને મળ્યા

HomeCountryPolitics

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય વળાંક! અજિત પવાર સહિત તમામ બળવાખોર નેતાઓ શરદ પવારને મળ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક મોટી ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે, નાયબ સીએમ અજિત પ

રાહુલ ગાંધી હવે મણીપુરથી મુંબઈ સુધીની 14 રાજ્યોને આવરી લેતી ભારત ન્યાયયાત્રા કાઢશે
પ્રથમ 6 મહિનામાં જ ચાલુ વર્ષે 87 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા કેમ છોડી? જાણો કયાં રહેવા ગયા?
પાકિસ્તાને કરાચી એક્સપ્રેસ દ્વારા ‘ગુજરાત’ને દિવાળીની ભેટ મોકલી, અનેક ઘરોમાં તહેવારની ખુશી બમણી થઈ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક મોટી ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે, નાયબ સીએમ અજિત પવાર, પ્રફુલ પટેલ, છગન ભુજબળ સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના તમામ બળવાખોર નેતાઓએ પાર્ટીના સ્થાપક શરદ પવારને મળ્યા હતા. .

પ્રાપ્ત માહિતી અનુસાર, એનસીપીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેમની છાવણીના નેતાઓ સાથે આજે બપોરે શરદ પવારને મળવા મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટર ગયા હતા. અજિત દાદાની સાથે પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, હસન મુશરીફ, અદિતિ તટકરે, ધનંજય મુંડે, અનિલ પાટીલ, ધર્મરાવ આત્રામ, સંજય બંસોડડે, નરહરિ જીરવાલ અને અનેક મોટા નેતાઓ હાજર હતા.

શરદ પવાર કેમ્પમાંથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે, મહારાષ્ટ્ર પાર્ટીના અધ્યક્ષ જયંત પાટીલ, મુખ્ય દંડક જિતેન્દ્ર અવ્હાડ બેઠકમાં હાજર હતા. NCP (શરદ પવાર જૂથ)ના નેતા જયંત પાટીલે, બળવાખોર જૂથના નેતાઓ સાથેની બેઠકમાં હાજરી આપતા પહેલા કહ્યું, “મને સુપ્રિયા સુલેનો ફોન આવ્યો અને તેમણે મને જલ્દી YB ચવ્હાણ સેન્ટર પહોંચવાનું કહ્યું. મને ખબર નથી કે અજિત પવાર અને અન્ય ધારાસભ્યો અહીં શા માટે આવ્યા છે.

આશીર્વાદ લીધા: પ્રફૂલ પટેલ

અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, આજે અમે બધા અમારા નેતા શરદ પવારજીને મળવા આવ્યા છીએ અને અમે તેમના આશીર્વાદ માંગ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સાથે રહીને મજબૂતાઈથી કામ કરવું જોઈએ, આ માટે અમે શરદ પવારને આ દિશામાં વિચારવા વિનંતી કરી હતી. જો કે શરદ પવારે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. તેમણે અમારી વાત શાંતિથી સાંભળી.

પ્રફુલ પટેલે કહ્યું, “આજે અમે અમારા ભગવાન શરદ પવારને મળ્યા. અમે તેમના આશીર્વાદ લેવા આવ્યા છીએ. અમે સમય માંગ્યા વિના તેમને મળવા અહીં આવ્યા છીએ. અમે તેમના પગ પકડીને તેમના આશીર્વાદ લીધા અને NCPને એક રાખવા વિનંતી કરી.”

શરદ પવારના ભત્રીજા અજિત પવાર તાજેતરમાં NCPના અન્ય 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. જેના કારણે પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. જો કે શરદ પવારે પાર્ટીને ફરીથી બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. 2 જુલાઈના રોજ બપોરે, અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે 8 NCP નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધાના લગભગ બે અઠવાડિયા પછી, અજિત પવારને શુક્રવારે નાણા વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો, જ્યારે તેમની છાવણી સહકાર અને કૃષિ સહિત અનેક શક્તિશાળી મંત્રાલયો મેળવવામાં સફળ રહી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0