ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધનથી લડશે ચૂંટણી: ઈસુદાનની જાહેરાત

HomeGujaratPolitics

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધનથી લડશે ચૂંટણી: ઈસુદાનની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના સૂપડા સાફ થયા બાદ બન્નેને હવે જ્ઞાન લાદ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આપ અ

સિંહણનું નામ ‘સીતા’ અને સિંહનું નામ ‘અકબર’ કેમ? કોલકાતા હાઈકોર્ટે નામ બદલવાનો આદેશ આપ્યો 
હરિયાણા: ફરિદાબાદમાં ગૌરક્ષક બિટ્ટુ બજરંગીની ધરપકડ, ધાર્મિક સરઘસ પહેલા નૂહ હિંસામાં ઉશ્કેરણીજનક નિવેદન આપવાનો આરોપ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદનાં બદલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર યોજાશે, બનાસકાંઠામાં કરાયું આયોજન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના સૂપડા સાફ થયા બાદ બન્નેને હવે જ્ઞાન લાદ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું છે અને હવે આ ગઠબંધન ગુજરાતમાં જોડાણ કરીને 2024ની લોકસભાની ચૂંટણી લડશે. સીટોની વહેંચણી પણ તે પ્રમાણે કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ઓછામાં ઓછી 50 કરતાં વધુ સીટો પર મોટું નુકશાન થયું હતું. કોંગ્રેસના અનેક નેતાઓ હારી ગયા હતા અને ભાજપે 156 સીટો પર ઐતિહાસિક વિજય મેળવીને કોંગ્રેસના નેતા માધવવસિંહ સોલંકીનો 149 સીટ જીતવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.

લોકસભાની ચૂંટણી પહેલાં તમામ વિપક્ષો મોદી સરકાર સામે એકજૂટ થઈ રહ્યા છે તે જોતાં પ્રાદેશિક સ્તરે પણ સીટો સાથેનું ગઠબંધન કરવામાં આવશે તેવું ઈસુદાન ગઢવીએ જણાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0