ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું

HomeCountryGujarat

ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું

ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની ત

ચંપલ પહેરવાનો વિવાદ: તણખા ઝર્યા બાદ ભાજપની મહિલા નેતાઓએ આપ્યા આવા ખુલાસા
જુની પેન્શન યોજના સામે આરબીઆઈની રાજ્યોને લાલબત્તીઃ વધશે સાડા ચારગણો બોજો
ISRO ચીફની બાયોપિકમાં મોટો ખુલાસો, કે.સિવન પર ગંભીર આક્ષેપ,ચંદ્રયાન-2ની નિષ્ફળતાના કારણોએ ઉભો કર્યો વિવાદ

ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદીપસિંહ વાઘેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પછી બીજા શક્તિશાળી નેતા છે. ભૂતકાળમાં રાજ્યમાં પ્રદેશ પ્રમુખ બદલવાની અટકળો ચાલી રહી હતી. જેમાં નવા પ્રદેશ પ્રમુખની રેસમાં પ્રદીપસિંહ વાઘેલા મુખ્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. જો કે હવે તેમના જવાથી અનેક સવાલો ઉભા થયા છે. રાજીનામા અંગે પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું છે કે થોડા દિવસોમાં બધું બરાબર થઈ જશે. વાઘેલાની 10 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પછી પ્રદીપ રાજ્યના બીજા શક્તિશાળી નેતા છે.

ખાસ વાત એ છે કે પ્રદીપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલા રાજીનામું આપી દીધું હતું અને આ રાજીનામું ભાજપના રાષ્ટ્રીય સંગઠને સ્વીકાર્યું છે.

અગાઉ ભાર્ગવ ભટ્ટના રાજીનામાની ચર્ચા હતી
ગુજરાતી જાગરણ સાથે વાત કરતાં પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે, ‘હા, મેં રાજીનામું આપી દીધું છે.’ પ્રદીપસિંહ વાઘેલા સંગઠનના મહામંત્રી પદે હતા. અગાઉ એવી ચર્ચા હતી કે ભાર્ગવ ભટ્ટે રાજીનામું આપી દીધું છે. એક સાથે રાજીનામા પર ભાજપ વતી કોઈ વાત કરવા તૈયાર નથી. તો હવે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે.

પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામાનું કારણ અંગત કારણ જણાવ્યું હતું

ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. તેમને પાર્ટીથી કોઈ નારાજગી નહોતી, ન તો તેમણે પાર્ટીને ફરિયાદ કરી છે.

રજની પટેલે વધુમાં જણાવ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલા પક્ષના સંનિષ્ઠ કાર્યકર છે અને રહેશે. પરંતુ હવે તે અંગત કારણોસર પાર્ટીથી દૂર રહેવા માંગે છે.

ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા

વાઘેલા પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે કહ્યું કે પ્રદીપસિંહ વાઘેલાએ ખૂબ સારું કામ કર્યું છે. તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપો પાયાવિહોણા છે. તેમણે અંગત કારણોસર સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપના શિસ્તબદ્ધ સૈનિક છે.

બીજેપી પ્રવક્તાએ કહ્યું કે પાર્ટી માટે જે પણ કામ આપવામાં આવે, પ્રદીપ તે કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે પરિવર્તન એ વિશ્વનો નિયમ છે. અલગ-અલગ જિલ્લા પ્રમુખોની જવાબદારીઓ બદલાઈ છે. કોઈ રોષ નથી. તેઓ ભવિષ્યમાં પણ કામ કરવા તૈયાર છે.