અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકોએ આગ લગાડીને તોડફોડ કરી હોવાના અહેવાલો આવી રહ્યા છે. અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતી
અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકોએ આગ લગાડીને તોડફોડ કરી હોવાના અહેવાલો આવી રહ્યા છે.
અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસની સખત નિંદા કરી હતી. અમેરિકા સ્થાનિક અહેવાલ અનુસાર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સવારે ૧-૩૦ થી ર-૩૦ વચ્ચે આગ લગાવી હતી, પરંતુ સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગે તેને ઝડપથી કાબૂમાં કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગને કારણે વધારે નુક્સાન થયું નથી. સાથે જ આ ટનામાં કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. ખાલિસ્તાન સમર્થકોએ આ ઘટનાને લઈને એક વીડિયો પણ જાહેર કર્યો છે, જો કે તેના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ પુષ્ટિ કરવામાં આવી નથી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વિટ કર્યું કે, અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે કથિત તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં રાજદ્વારી સુવિધાઓ અથવા વિદેશી રાજદ્વારીઓ સામે તોડફોડ અથવા હિંસા એ ફોજદારી ગુનો છે.


COMMENTS