ચાલુ ઓપરેશને ખેંચેલી તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર જામનગરનાં બે તબીબની સાત દિવસ માટે ફરજ મોકૂફી

HomeGujarat

ચાલુ ઓપરેશને ખેંચેલી તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર જામનગરનાં બે તબીબની સાત દિવસ માટે ફરજ મોકૂફી

જામનગરની સરકારી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોનમાં ફોટા-સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના કેસમાં બે તબીબોને સાત દિવસ માટે મૂળ ફરજથ

PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ
ગુજરાતમાં બેઠક સમજુતી : કોંગ્રેસ 23-‘આપ’ 3 સીટ લડશે
મુંબઈ ટ્રેન ફાયરિંગમાં મોટો ખુલાસો! ચેતનસિંહે બુરખો પહેરેલી મહિલાને ‘જય માતા દી’ના નારા લગાવવા કરી હતી મજબૂર

જામનગરની સરકારી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોનમાં ફોટા-સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના કેસમાં બે તબીબોને સાત દિવસ માટે મૂળ ફરજથી દૂર ખસેડવામાં આવ્યા છે, અને ત્રણ તબીબોની તપાસ ટૂકડીની રચના કરવામાં આવી છે જે સમિતિ આજે પોતાનો અહેવાલ રજૂ કરશે.

સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની ગણાતી જામનગરની જી.જી. હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક દર્દીના ઓપરેશન સમયે તબીબોએ સેલ્ફી લીધી હતી અને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી. આ મુદ્દો અખબારોમાં ચમક્યા પછી હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું અને આ સેલ્ફીનો મોહમાયા રાખનાર ડો. પ્રતીક પરમાર અને ડો. ઈશ્વરને સાત દિવસ માટે તેના મૂળ સ્થાનેથી દૂર કરવાનો આદેશ કર્યો હતો.

જ્યારે ત્રણ તબીબોની તપાસ સમિતિ બનાવાઈ હતી જેમાં ડો. મનિષ મહેતા, ડો. ભદ્રેશ વ્યાસ અને ડો. દેવદત ગોહિલનો સમાવેશ થાય છે. આ સમિતિ આજે પોતાનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરશે. આમ તબીબી જગતમાં સેલ્ફીનો મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0