રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું, 'ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, કેટલા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું, ‘ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, કેટલાક લોકો તેને સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ આ સત્ય છે.’ આ સમયે, સંઘના વડા દ્વારા આપવામાં આવેલા આ નિવેદનના ઘણા અર્થ થઈ શકે છે કારણ કે અત્યારે આ રાજ્યની રાજધાની મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક પણ ચાલી રહી છે. RSS ચીફના આ નિવેદનથી રાજકીય ગતિવિધિ વધી શકે છે.
RSSના વડાએ બેઠકમાં શું કહ્યું?
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, ‘હિંદુસ્તાન ‘હિંદુ રાષ્ટ્ર’ છે અને આ સત્ય છે. વૈચારિક રીતે બધા ભારતીયો હિંદુ છે અને હિંદુ એટલે બધા ભારતીય. આજે જે લોકો ભારતમાં છે તે બધા હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિના છે, બીજું કંઈ નહીં, તેથી જ સંઘે દરેકની સમાન ચિંતા કરવી જોઈએ.

ભાગવતે આગળ કહ્યું કે ‘કેટલાક લોકો તેને સમજી ગયા છે, જ્યારે કેટલાક પોતાની આદતો અને સ્વાર્થને કારણે તેને સમજ્યા પછી પણ તેનો અમલ નથી કરી રહ્યા. તદુપરાંત, કેટલાક લોકો કાં તો હજી સુધી સમજી શક્યા નથી અથવા ભૂલી ગયા છે.
આ બેઠકમાં નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જ્યારે RSS ચીફ મોહન ભાગવત ભારતને હિન્દુ રાષ્ટ્ર કહી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. નીતિન ગડકરીને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.


COMMENTS