hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

HomeGujarat

ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

રાજકોટના ધોરાજીમાં મોહરમના જુલૂસ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીમાં તાજીયા ઇલેક્ટ્રિક તારને અડકી જતા 15 લોકોને વીજ કરંટ લાગ્યો છે, જેમાંથી

How amazing gadgets are making the world a better place
NCPમાં નવા ચહેરાઓને અપાશે સ્થાન: શરદ પવારે બળવાખોરો માટે દરવાજા બંધ કરવાનાં આપ્યા સંકેત
G20 અધ્યક્ષતા હેઠળ G20 અને ત્રીજી TIWG બેઠકના દોર માટે ગુજરાત સજ્જ

રાજકોટના ધોરાજીમાં મોહરમના જુલૂસ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીમાં તાજીયા ઇલેક્ટ્રિક તારને અડકી જતા 15 લોકોને વીજ કરંટ લાગ્યો છે, જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે મોહરમના જુલૂસમાં ભાગદોડ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ધોરાજીના રસુલપરા વિસ્તાર આજે મોહરમના તહેવાર નિમિતે જુલૂસ કાઢવામાં આવ્યું હતું. એવામાં તાજિયા PGVCL ની ઇલેક્ટ્રિક લાઈનમાં અડી જતાં 15 જેટલા લોકોને કરંટ લાગ્યો છે.

ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે લોકોના મોત નીપજ્યા હોવાની જાણકારી છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે.

નોંધનીય છે કે, આજે સવારે જ ઝારખંડના બોકારોમાં મોહરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. તાજીયા હાઇટેન્શન લાઇનને અડી જતા કુલ 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0