ઈમરાન ખાનને મળી રાહત, ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં જામીન અરજી મંજૂર કરી

HomeInternationalWorld

ઈમરાન ખાનને મળી રાહત, ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં જામીન અરજી મંજૂર કરી

જ્યારથી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ખુરશી ગુમાવી છે ત્યારથી તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. પીએમ પદ છોડ્યા બાદથી જ ઇમરાને પાકિસ્તાનની

“નિષ્પક્ષ થવાની આશા, તપાસ એજન્સી બદલો લેવાની કાર્યવાહી કરી શકતી નથી”: સુપ્રીમ કોર્ટે ઈડીને ફટકારી
મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, 100 શહેરોમાં દોડશે 10 હજાર ઈલેક્ટ્રિક બસ
સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશી: SOGએ 6 બાંગ્લાદેશીઓ અને બોર્ડર ક્રોસિંગ એજન્ટની ધરપકડ કરી

જ્યારથી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ખુરશી ગુમાવી છે ત્યારથી તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. પીએમ પદ છોડ્યા બાદથી જ ઇમરાને પાકિસ્તાનની નવી સરકાર અને સેના સામે બળવો શરૂ કરી દીધો હતો. આ કારણે દેશની સરકાર અને સેના તેમની વિરુદ્ધ થઈ ગઈ. આ કારણે માત્ર ઈમરાન પર જ નહીં, પરંતુ તેની રાજકીય પાર્ટી પીટીઆઈ પર પણ સંકટ આવી ગયું હતું. પરંતુ આજે કંઈક એવું થયું છે જેણે ઈમરાનને રાહત આપી છે.

તોશાખાના કેસમાં ઈમરાનને રાહત

તોષાખાના કેસમાં આજે મંગળવારે 4 જુલાઈએ ઈમરાનને રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં આજે સુનાવણી દરમિયાન સમગ્ર કેસને અમાન્ય જાહેર કર્યો હતો. એટલું જ નહીં ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ તોશાખાના કેસમાં ઈમરાનની જામીન અરજી મંજૂર કરીને ઈમરાનને રાહત આપી છે.

પીટીઆઈએ આને જીત ગણાવી

તોશાખાના કેસમાં ઈમરાનને રાહત મળવા પર તેમની પાર્ટી પીટીઆઈએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પીટીઆઈએ કહ્યું કે ઈમરાનને જામીન મળવા એ માત્ર ઈમરાનની જ નહીં પરંતુ સમગ્ર પાર્ટીની જીત છે.

શું છે તોશાખાના કેસ?

ઇમરાનના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, તેમને તેમની મુલાકાતો દરમિયાન અન્ય દેશોના નેતાઓ પાસેથી, ખાસ કરીને આરબ દેશોના શાસકો પાસેથી મૂલ્યવાન ભેટો મળી હતી. પાકિસ્તાનમાં એવો નિયમ છે કે અન્ય દેશોની અગ્રણી વ્યક્તિઓ પાસેથી મળેલી ભેટ તોશાખાનામાં રાખવી જરૂરી છે.

ઈમરાનને પાકિસ્તાનની સત્તા પરથી હટાવ્યા પછી, નવી સરકારે ઈમરાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, આરોપ લગાવ્યો કે ઈમરાને તેની સંપત્તિની ઘોષણામાં તોશાખાનાને લગતી ભેટો જાહેર કરી નથી. આટલું જ નહીં, ઈમરાને તેમાંથી કેટલીક ગિફ્ટ મોંઘા ભાવે વેચીને પણ ઘણી કમાણી કરી હતી. આ કારણે ઈમરાન સામે તોશાખાનાનો કેસ ચાલી રહ્યો હતો. જોકે, ઈમરાને આમ કરવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ઈમરાને તોશાખાનામાંથી તમામ ભેટ રૂ. 2.15 કરોડમાં ખરીદી હતી અને રૂ. 5.8 કરોડમાં વેચી દીધી હતી. બાદમાં ખબર પડી કે ઈમરાન ખાને આ ગિફ્ટ્સ વેચીને 20 કરોડથી વધુ રૂપિયા મેળવ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0