વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર ડ્રોન દેખાતા ખળભળાટઃ શોધખોળ

HomeCountry

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર ડ્રોન દેખાતા ખળભળાટઃ શોધખોળ

દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન દેખાયું હતું. આજે સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ મચી ગયો છે. નો ફલાય ઝોન છતાં ડ્રોન આવ્યું કેવી રીત

“રાત્રે લિપસ્ટિક લગાવી, સવારે ક્યાં ગઈ?” પત્નીનાં હોઠ પરની લિપસ્ટિક ભૂંસાઈ તો પતિ ભડક્યો,પછી શું થયું?
69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: આલિયા-કૃતિને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો, અલ્લુ અર્જુન બન્યો શ્રેષ્ઠ અભિનેતા
સિક્કિમમાં ફસાયેલા 7000 લોકોને બચાવવા એરફોર્સના હેલિકોપ્ટરો મોકલાયા

દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન દેખાયું હતું. આજે સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ મચી ગયો છે. નો ફલાય ઝોન છતાં ડ્રોન આવ્યું કેવી રીતે તેની તપાસ સાથે ડ્રોનની શોધખોળ શરૃ થઈ છે.

આજે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઊડતું દેખાયું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સવારે લગભગ પ વાગ્યે ડ્રોન ઊડતું દેખાતાં એસપીજીએ આ બાબતે નવી દિલ્હી પોલીસને જાણ કરી હતી. ત્યારપછી તમામ અધિકારીઓએ ડ્રોનની શોધખોળ શરૃ કરી હતી.

વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઊડતું દેખાયું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તપાસમાં હજી કશું જ સામે આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે પીસીઆર કોલ આવ્યો હતો કે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન જેવી વસ્તુ ઊડી રહી છે. જો કે, પોલીસે જ્યારે તપાસ કરી તો કશું મળ્યું ન હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલને પણ કંઈ મળ્યું નથી.

પી.એમ. હાઉસ નો ફલાઈંગ ઝોન હેઠળ આવે છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસમાં લાગેલી છે કે નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન કોણ ઉડાવતું હતું કે, પછી તે ડ્રોન આ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યું…? હાલમાં આ મામલે વધુ વિગતોની રાહ જોવાય રહી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0