2017માં સુરતમાં આવેલી મહાવીર માર્કેટનાં સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં મુદ્દામાલના ગોડાઉનમાંથી સોડી ચોરીના કેસમાં સુરતની કોર્ટે તમામ ત્રણેય આરોપીઓને નિર્દ
2017માં સુરતમાં આવેલી મહાવીર માર્કેટનાં સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં મુદ્દામાલના ગોડાઉનમાંથી સોડી ચોરીના કેસમાં સુરતની કોર્ટે તમામ ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓનાં બચાવમાં એડવોકેટ તકવીમ કાઝીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.

આ કેસની વિગત એવી છે કે 14-2-2018નાં રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં મહાવીર માર્કેટમાં આવેલા મુદ્દામાલ રાખવાના ગોડાઉનમાંથી 80,800 રુપિયાની સાડીઓની ચોરી કરવાનો બનાવ બન્યો હતો. આ અંગે સલાબતપુરા પોલીસે આઈપીસીની કલમ 454,380, 120-બી મુજબનો ગુનો દાખલ કરી પુણા ગામ ખાતે રહેતા ઉમેંશ ઉર્ફ જયેશ પંચમનાથ ઉપાધ્યાય, સારોલીમાં રહેતા ગૌતમ ઉર્ફે લક્કી અરોરા અને સતનામ કર્નલસિંહ જાટની ધરપકડ કરી હતી.

આ કેસની સુરતના બીજા અધિક સિવિલ અને જેએમએફસી જજ નેહારિકા રાઘવની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આરોપીઓ તરફે એડવોકેટ તકવીમ કાઝીએ પોલીસની ચાર્જશીટ સહિત ફરિયાદ અંગે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. કોર્ટે એડવોકેટ તકવીમ કાઝીની દલીલો ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.


COMMENTS