સુરત: બિઝનેસ પાર્ટનરના દબાણથી કંટાળીને 7 લોકોએ કરી હતી આત્મહત્યા, હવે એકની ધરપકડ

HomeGujarat

સુરત: બિઝનેસ પાર્ટનરના દબાણથી કંટાળીને 7 લોકોએ કરી હતી આત્મહત્યા, હવે એકની ધરપકડ

સુરતમાં 7 લોકોની સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈન્

મોટી સફળતા: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી ચાર આતંકવાદીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું
રાહુલ ગાંધીનો સનસનાટીપૂર્ણ દાવો, ‘મારા ઘરે ઈડી પાડશે દરોડા, હું તેમને ચા-બિસ્કિટ ખવડાવીશ’

સુરતમાં 7 લોકોની સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈન્દ્રપાલ શર્મા છે, જે મૃતક મનીષ સોલંકીનો બિઝનેસ પાર્ટનર છે. બંને ફર્નિચરના વ્યવસાયમાં ભાગીદાર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઈન્દરપાલે મનીષ સોલંકી પાસેથી 20 લાખ રૂપિયા લેવાના હતા. ઈન્દ્રપાલે મનીષ પર આ પૈસા દિવાળી સુધીમાં પરત કરવા દબાણ કર્યું હતું.

સુરત ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે 29 ઓક્ટોબરની સવારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક ફ્લેટમાંથી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. શરૂઆતમાં આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે મૃતક મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ લીધો હતો જ્યારે તેના માતા-પિતા, પત્ની અને ત્રણેય ઝેર પીને મૃત્યુ પામ્યા હતા. કનુભાઈ સોલંકીનો પરિવાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો હતો. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે કનુભાઈ, તેમની પત્ની, પુત્ર મનીષ ઉર્ફે શાંતુ, મનીષની પત્ની રીટા, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ રહેતા હતા.

પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે કોઈનું નામ લીધા વગર પૈસા પાછા નહીં મળવાનું લખ્યું હતું. પોલીસ માટે આ રહસ્ય ઉકેલવું ઘણું મુશ્કેલ હતું. પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી હતી. દરમિયાન, પોલીસને મૃતક મનીષ પાસેથી બીજો એક પત્ર મળ્યો જેમાં તેણે તેના ભાગીદાર ઈન્દરપાલ શર્માને દિવાળી સુધીમાં રૂ. 20 લાખ ચૂકવવા માટે દબાણ કરવા વિશે લખ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઈન્દરપાલ અને મૃતક મનીષે સુરતના ભટાર વિસ્તારમાં ભાગીદારીમાં નિધિ પ્લાયવુડ નામની દુકાન શરૂ કરી હતી. મનીષને ફર્નિચરનો ધંધો હતો અને તેણે દુકાનમાંથી સામાન લીધો હતો જેના માટે તેણે પૈસા ચૂકવવાના હતા. તેના ભાગીદાર ઈન્દરપાલે બાકીની રકમ દિવાળી સુધીમાં ચૂકવી દેવાનું કહ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક મનીષે બેંકમાંથી લોન લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે લગભગ 10 લાખથી 1.10 કરોડ રૂપિયાની લોન માટે અરજી કરી હતી. પરંતુ તેમની લોન નામંજૂર કરવામાં આવી હતી જ્યારે એક લોનને ઘટનાના બીજા દિવસે મંજૂરી મળી હતી. પોલીસે ઈન્દરપાલ શર્મા વિરુદ્ધ કલમ 306 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0