hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં હડકંપઃ 36 કલાકમાં 31 દર્દીઓના મોત

HomeCountry

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં હડકંપઃ 36 કલાકમાં 31 દર્દીઓના મોત

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ર૪ કલાકમાં ર૪ મૃત્યુ પછી આજે વધુ ૩ દર્દીઓના મૃત્યુ થતા આ આંકડો ૩૬ કલાકમાં ૩૧ મૃત્યુ સુધી પહોંચ્યો છે,

ખાલિસ્તાનીઓની ધમકીના પગલે મોદી સ્ટેડિયમમાં તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
વડોદરા બોડ દુર્ઘટનાની ઈફેક્ટ:ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 16 બોટના લાયસન્સ ટેમ્પરરી રદ
ચંદ્રયાન-3: ચંદ્રનું તાપમાન જાણીને ઈસરોના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત, કહ્યું,”ધાર્યા કરતા વધારે”

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ર૪ કલાકમાં ર૪ મૃત્યુ પછી આજે વધુ ૩ દર્દીઓના મૃત્યુ થતા આ આંકડો ૩૬ કલાકમાં ૩૧ મૃત્યુ સુધી પહોંચ્યો છે, જે હજુ વધી શકે છે. કોંગી નેતા પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે કડક પગલાં લેવાની માંગ ઊઠાવી છે.

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ર૪ દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી ૩૬ કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા ર૪ થી વધીને ૩૧ થઈ ગઈ છે.

સૂત્રોના અહેવાલ અનુસાર આજે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે. બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા પોસ્ટ શેર કરી હતી કે ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.

શરદ પવારે પોસ્ટ શેર કરતા લખ્યું કે, નાંદેડની સરકારી હોસ્પિટલમાં ર૪ કલાકમાં ર૪ લોકોના મોત થયા હતાં. આ ઘટનામાં ૧ર નવજાત બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ એક ચોંકાવનારી ઘટના છે. આવી જ કમનસીબ ઘટના થાણેની કલાવા હોસ્પિટલમાં બની હતી અને તે ઘટનાને ગંભીરતાથી ન લેવાને કારણે ફરી આ પ્રકારની ઘટના નાંદેડમાં થઈ જેમાં ર૪ લોકોના મોત થયા છે. આ સરકારની નિષ્ફળતા દેખાડે છે. શરદ પવારે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, શક્ય તેટલું જલદીથી કડક પગલાં લેવામાં આવે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0