‘બંધારણ 6 મહિના પહેલા ચૂંટણી કરાવવાની મંજૂરી આપે છે’: મુખ્ય ચૂંટણી કમિશનરનું મોટું નિવેદન

HomeCountryPolitics

‘બંધારણ 6 મહિના પહેલા ચૂંટણી કરાવવાની મંજૂરી આપે છે’: મુખ્ય ચૂંટણી કમિશનરનું મોટું નિવેદન

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે ચૂંટણીને લઈને પહેલીવાર કંઈક મોટું કહ્યું હતું. તેમણે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બંધારણ વહે

PMJAY હેઠળ મૃત દર્દીઓની સારવાર માટે 6.9 કરોડ રુપિયા ચૂકવાયાઃ CAG
રાજકોટથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને દબોચી લેતી એટીએસ
કેરળ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી ડોમિનિક માર્ટીને કર્યું સરન્ડર! પોલીસ તપાસમાં લાગી, ઘાયલોની સંખ્યા 50ને પાર

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે ચૂંટણીને લઈને પહેલીવાર કંઈક મોટું કહ્યું હતું. તેમણે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બંધારણ વહેલા ચૂંટણીની મંજૂરી આપે છે.

અમે હંમેશા ચૂંટણી કરાવવા તૈયાર છીએ: CEC

રાજીવ કુમારે કહ્યું, “આપણી ફરજ બંધારણીય જોગવાઈઓ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ સરકારના કાર્યકાળના અંત પહેલા ચૂંટણી કરાવવાની છે. કલમ 83(2) કહે છે કે સંસદનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. અને તે મુજબ આરપી એક્ટ 14 ની કલમ કહે છે કે અમે 6 મહિના પહેલા ચૂંટણીની જાહેરાત કરી શકીએ છીએ. રાજ્યની વિધાનસભાઓમાં પણ આવી જ સ્થિતિ છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ અમે ચૂંટણી કરાવવા માટે હંમેશા તૈયાર છીએ.

વન નેશન, વન ઈલેક્શન અંગે આપ્યો આવો જવાબ

તેમણે આ પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે, મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ 05 ઓક્ટોબરે કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં લગભગ 5.52 કરોડ મતદારો છે, જેમાંથી 2.67 કરોડ મહિલાઓ છે. વન નેશન, વન ઈલેક્શન અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે પંચે બંધારણીય જોગવાઈઓ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ વહેલી ચૂંટણી કરાવવાની હોય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0