મોદી સરકારે સારા ભવિષ્ય માટે દેશમાં લઘુમતી સમુદાયના બાળકોને મળતી શિષ્યવૃત્તિમાં વધારો કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી
મોદી સરકારે સારા ભવિષ્ય માટે દેશમાં લઘુમતી સમુદાયના બાળકોને મળતી શિષ્યવૃત્તિમાં વધારો કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. પરંતુ દેશમાં લઘુમતી શિષ્યવૃતિ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં નકલી લાભાર્થીઓ, નકલી સંસ્થાઓ અને અનેક રાજ્યોના નકલી નામે બેંક ખાતા સામે આવ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મેળાપીપણામાં થયું કૌભાંડ
મંત્રાલયની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે લઘુમતી સંસ્થાઓ, રાજ્ય પ્રશાસન અને બેંકોએ મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 1572 લઘુમતી સંસ્થાઓની તપાસમાં 830 મદરેસા નકલી/નોન-ઓપરેશનલ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 144 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

5 વર્ષમાં 144.83 કરોડનું કૌભાંડ
વાસ્તવમાં, લઘુમતી મંત્રાલયે 10 જુલાઈના રોજ સીબીઆઈમાં તેની ફરિયાદ નોંધાવી હતી. એવી માહિતી આપવામાં આવી હતી કે મંત્રાલયે 34 રાજ્યોના 100 જિલ્લામાં આંતરિક તપાસ હાથ ધરી છે. તેમાંથી 21 રાજ્યોની 1572 સંસ્થાઓમાંથી 830 સંસ્થાઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લગભગ 53 ટકા વિદ્યાર્થીઓ નકલી જણાયા હતા. છેલ્લા 5 વર્ષમાં માત્ર 830 સંસ્થાઓમાં 144.83 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. જો કે અન્ય સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે.
અત્યાર સુધી તપાસ કરાયેલા કેસોમાં, બોગસ લાભાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિના સાચા લાભાર્થીઓને થયેલા મોટા પાયે નુકસાન અને સરકારી તિજોરીને રૂ. 144 કરોડના નુકસાનની તપાસ માટે મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. જો સૂત્રોનું માનીએ તો આ અનેક સ્તરે સંસ્થાકીય ભ્રષ્ટાચાર છે. સંસ્થાઓ ક્યાં તો અસ્તિત્વમાં નથી અથવા બિન-કાર્યકારી છે પરંતુ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) બંને પર નોંધાયેલ છે.
રાજસ્થાનમાં સૌથી વધુ બોગસ મદરેસા
તપાસમાં એ વાત સામે આવી છે કે સૌથી વધુ નકલી મદરેસા રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં 128 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. 99 નકલી/નોન ઓપરેશનલ હોવાનું બહાર આવ્યું. બીજી તરફ, છત્તીસગઢમાં 62 સંસ્થાઓ નકલી/નોન-ઓપરેશનલ, આસામ 68 ટકા નકલી, કર્ણાટક 64 ટકા નકલી, યુપી સુધી 44 ટકા નકલી, બંગાળમાં 39 ટકા મદરેસાઓ નકલી અથવા બિન-ઓપરેશનલ હોવાનું જાણવા મળ્યું હતું.
નોડલ અધિકારી પણ તપાસ હેઠળ
સીબીઆઈ તપાસ કરશે કે કેવી રીતે સંસ્થાઓના નોડલ અધિકારીઓએ ઓકે રિપોર્ટ્સ આપ્યા, જિલ્લા નોડલ અધિકારીઓએ કેવી રીતે બનાવટી કેસોની ચકાસણી કરી અને કેટલા રાજ્યોએ કૌભાંડને વર્ષો સુધી ચાલુ રાખવા દીધું વગેરે. લઘુમતી બાબતોના મંત્રાલયના એક સૂત્રએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું કે બેંકોએ લાભાર્થીઓ માટે નકલી ખાતા ખોલવાની


COMMENTS