નાગપુરના ભાજપ નેતા સના ખાનને પતિ અમિત સાહુએ મોતને ઘાત ઉતારી, લાશ નદીમાં ફેંકી દીધી

HomeCountry

નાગપુરના ભાજપ નેતા સના ખાનને પતિ અમિત સાહુએ મોતને ઘાત ઉતારી, લાશ નદીમાં ફેંકી દીધી

મહારાષ્ટ્રના નાગપુરના ભાજપ નેતા સના ખાનની જબલપુરમાં હત્યા કરવામાં આવી છે. નાગપુર અને જબલપુર પોલીસે હત્યાના સંબંધમાં આરોપી અને સનાના કથિત પતિ અમિત સાહ

ફેમા કેસમાં અનિલ અંબાણી બાદ EDએ પત્ની ટીનાને પણ સમન્સ પાઠવ્યું, પૂછપરછ કરાઈ
ગુજરાતમાં ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલવા ગેરકાયદેસર છે: ગુજરાત હાઈ કોર્ટ
ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય અંગે વડાપ્રધાનનું નિવેદનઃ પક્ષના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ

મહારાષ્ટ્રના નાગપુરના ભાજપ નેતા સના ખાનની જબલપુરમાં હત્યા કરવામાં આવી છે. નાગપુર અને જબલપુર પોલીસે હત્યાના સંબંધમાં આરોપી અને સનાના કથિત પતિ અમિત સાહુ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી છે. પપ્પુ સાહુએ હત્યાની કબૂલાત કરી હતી અને હત્યા બાદ તેણે સનાની લાશ નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે. પોલીસ હવે મૃતદેહને શોધી રહી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી અમિત સાહુ ઉર્ફે પપ્પુને નાગપુર પોલીસે મધ્યપ્રદેશના જબલપુરના ઘોડા બજાર વિસ્તારમાંથી અન્ય બે સાથે ધરપકડ કરી હતી. સના ખાન નાગપુરમાં ભાજપના લઘુમતી સેલની પદાધિકારી હતી અને પહેલી ઓગસ્ટથી ગુમ હતી.

નાગપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-II) રાહુલ મદનેએ દાવો કર્યો હતો કે આ કેસનો મુખ્ય આરોપી અમિત સાહુ હિના (34)ને ઓળખતો હતો અને તેણે સનાનું અપહરણ કરીને તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, સનાનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. નાગપુરની એક મહિલા ભાજપ નેતા એક અઠવાડિયાથી ગુમ હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશના જબલપુરમાં તેના બિઝનેસ પાર્ટનર પાસે ગઈ હતી, પરંતુ તે પછી કંઈ ખબર પડી ન હતી. જાણવા મળી રહ્યું છે કે જ્યારે નાગપુર પોલીસ જબલપુર ગઈ ત્યારે બિઝનેસ પાર્ટનર પણ ગાયબ હતો. એવી શંકા છે કે તેણે ભાજપના મહિલા નેતા સના ખાનની હત્યા કરી છે. જો કે હજુ સુધી સનાનો મૃતદેહ મળ્યો નથી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0