સમગ્ર દેશમાં વરસાદની તોફાની બેટીંગ, મુંબઈ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

HomeCountryGujarat

સમગ્ર દેશમાં વરસાદની તોફાની બેટીંગ, મુંબઈ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

સમગ્ર દેશમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ઠેક-ઠેકાણે મેઘરાજાની તોફાની બેટીગં જોવા મળી રહી છે. મુંબઈ,દિલ્હી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ

શિમલામાં ભૂસ્ખલન થતાં શિવ મંદિર દટાયુંઃ નવનાં મોતઃ સોલનમાં વાદળ ફાટતા સાતનાં મોત
બ્રિટનમાં ભારતીય મૂળના વ્યક્તિનું હની ટ્રેપ કિલીંગ, પાંચ અંગ્રેજો દોષિત , સપ્ટેમ્બરમાં થશે સજાનું એલાન
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી સમયે હિંસાઃ ટ્રેન સળગાવતા પાંચના મરણ

સમગ્ર દેશમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ઠેક-ઠેકાણે મેઘરાજાની તોફાની બેટીગં જોવા મળી રહી છે. મુંબઈ,દિલ્હી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે શનિવારે સમગ્ર દિલ્હીમાં ભારે ટ્રાફિક જામ અને પાણી ભરાઈ ગયા હતા, જેના મધ્ય દિલ્હીમાં કનોટ પ્લેસ સહિત કેટલાક બજાર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વેપાર પર માઠી અસર દેખાઈ આવી હતી.

 હિમાચલના સાત જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશના હવામાન વિભાગે શનિવારે હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓ માટે ‘રેડ’ એલર્ટ જારી કરીને 8 અને 9 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી હતી.

બિયાસ નદી અને તેની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, 91 જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ છે અને 73 પાણી પુરવઠા યોજનાઓ અને 69 ટ્રાન્સફોર્મર વરસાદને કારણે ખોરવાઈ ગયા છે.

કેરળમાં ભારે વરસાદ; 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

કેરળના કેટલાક ભાગોમાં શનિવારે સવારે ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડાઓ અનુસાર શુક્રવાર સુધીમાં, દક્ષિણ રાજ્યમાં દક્ષિણપશ્ચિમ ચોમાસા દ્વારા શરૂ થયેલા ભારે વરસાદમાં આઠ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે 7,800 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.

અમરનાથ સ્થગિત થયા બાદ યાત્રિકો માટે મુશ્કેલી

ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કર્યા બાદ બાલતાલ અને પહેલગામના બેઝ કેમ્પમાં ફસાયેલા અમરનાથ યાત્રીઓએ અધિકારીઓને તેમને બહાર કાઢવા વિનંતી કરી છે.

લગભગ 50,000 તીર્થયાત્રીઓને કાશ્મીર ખીણમાં વિવિધ બેઝ કેમ્પમાં મૂકવામાં આવ્યા છે અને લગભગ 19,000 ગાંદરબલ જિલ્લામાં બાલતાલ બેઝ કેમ્પમાં છે.

દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,888-મીટર ઉંચી ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈએ પહેલગામ અને બાલતાલના જોડિયા ટ્રેકથી શરૂ થઈ હતી. આ યાત્રા 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાની છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0