hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

NCPમાં તખ્તાપલટ, અજિત પવાર બન્યા પક્ષના નવા અધ્યક્ષ, કાકા શરદ પવારને હટાવ્યા

HomePolitics

NCPમાં તખ્તાપલટ, અજિત પવાર બન્યા પક્ષના નવા અધ્યક્ષ, કાકા શરદ પવારને હટાવ્યા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વર્ચસ્વની લડાઈએ નવો વળાંક લીધો છે. NCPના વડા શરદ પવારને ભત્રીજા અજિત પવાર દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવી

‘INDIA’ ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે
રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડીયા, જામનગરનાં મેયર બનતા વિનોદ ખિમસુર્યા, ભાવનગરમાં ભરત બારડ બન્યા મેયર
ચંદ્રયાન-3 નું કાઉન્ટ ડાઉન એનાઉન્સર ઈસરોના મહિલા સાયન્ટિસ્ટ એન. વલારમથીનું હાર્ટએટેકથી નિધન

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વર્ચસ્વની લડાઈએ નવો વળાંક લીધો છે. NCPના વડા શરદ પવારને ભત્રીજા અજિત પવાર દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, જેઓ પોતે પાર્ટીના નવા પ્રમુખ બન્યા છે. અજિત પવાર કેમ્પ દ્વારા આ અંગે ચૂંટણી પંચને પણ જાણ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NCP નેતાઓ (અજિત પવાર જૂથ)ની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં અજિત દાદાને સર્વસંમતિથી NCPના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શરદ પવારે ગુરુવારે નવી દિલ્હીમાં NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે.

ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં અજિત પવાર જૂથે દાવો કર્યો હતો કે 30 જૂને પાર્ટીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. મીટિંગમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે પાર્ટી લોકોના કલ્યાણના તેના ઉદ્દેશ્યોથી ભટકી રહી છે અને તેથી શરદ પવારને એનસીપીના અધ્યક્ષ પદેથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ અજિત પવારની ટોચના પદ માટે પસંદગી કરવામાં આવી છે. બુધવારે ચૂંટણી પંચને આ માહિતી આપવામાં આવી હતી.

અગાઉ, અજિત પવાર કેમ્પે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને NCP રાજ્ય એકમના પ્રમુખ જયંત પાટિલ અને જિતેન્દ્ર આવ્હાડને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કહ્યું હતું. શરદ પવારની આગેવાની હેઠળની NCP એ અજિત પવાર અને એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા અન્ય 8 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સ્પીકર નાર્વેકર સમક્ષ અરજી દાખલ કરી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે શિવસેના વિભાજન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિધાનસભ્ય દળ રાજકીય પક્ષથી સ્વતંત્ર રીતે કામ કરી શકે નહીં. આનો અર્થ એ થયો કે ધારાસભ્યોનું જૂથ પોતાની રીતે પક્ષના નિર્ણયો લઈ શકતું નથી. શરદ પવારને પાર્ટીના વડા પદ પરથી હટાવીને તેમની જગ્યાએ અજિત પવારને બેસાડવો એ સાબિત કરવા માટે છે કે તેમની છાવણી વાસ્તવિક NCP છે.

NCPમાં વર્ચસ્વ માટેની લડાઈ બુધવારે વધુ તીવ્ર બની હતી જ્યારે બંને જૂથોએ એકસાથે શક્તિ પ્રદર્શનમાં અલગ-અલગ બેઠકો યોજી હતી. ઉપનગરીય બાંદ્રામાં MET ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં આયોજિત અજિત પવાર જૂથની બેઠકમાં NCPના 53માંથી 32 ધારાસભ્યોએ હાજરી આપી હતી.


બીજી તરફ, મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારના નેતૃત્વમાં કુલ 13 ધારાસભ્યો, 3 એમએલસી અને 5 સાંસદો બેઠકમાં પહોંચ્યા હતા. 13 ધારાસભ્યોમાં અનિલ દેશમુખ, રોહિત પવાર, રાજેન્દ્ર શિંગને, અશોક પવાર, કિરણ લહમતે, પ્રાજક્તા તાનપુરે, બાલાસાહેબ પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ, ચેતન વિઠ્ઠલ ટુપે, જયંત પાટીલ, રાજેશ ટોપે, સંદીપ ક્ષીરસાગર અને દેવેન્દ્ર ભુયારનો સમાવેશ થાય છે. જ્યારે 5 સાંસદોમાં શ્રીનિવાસ પાટીલ (લોકસભા), સુપ્રિયા સુલે (લોકસભા), અમોલ કોલ્હે (લોકસભા), ફૌઝિયા ખાન (રાજ્યસભા) વંદના ચવ્હાણ (રાજ્યસભા)નો સમાવેશ થાય છે. 3 એમએલસીમાં શશિકાંત શિંદે, બાબાજાની દુરાની, એકનાથ ખડસેનો સમાવેશ થાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0