મમતા બેનર્જીએ દાવો કર્યો,”કેન્દ્રમાં વધુ છ મહિના ભાજપ સરકાર, ફેબ્રુઆરી-માર્ચમાં થશે લોકસભાની ચૂંટણી”

HomeCountryNews

મમતા બેનર્જીએ દાવો કર્યો,”કેન્દ્રમાં વધુ છ મહિના ભાજપ સરકાર, ફેબ્રુઆરી-માર્ચમાં થશે લોકસભાની ચૂંટણી”

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની સરકાર વધુ છ મહિના સુધી ચાલ

સુદાનમાં સિવિલ વોરઃ રાજધાની ખાર્તુમ પર થયેલા હવાઈ હુમલામાં ચાલીસના મોતઃ અનેક લોકો ઘાયલ
કેનેડામાં વધુ એક મંદિરમાં તોડફોડ, ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવવામાં આવ્યા
‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને કેન્દ્રનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની સરકાર વધુ છ મહિના સુધી ચાલુ રહેશે અને આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે.

પંચાયત ચૂંટણી માટે જલપાઈગુડીમાં એક રેલીને સંબોધતા બેનર્જીએ કહ્યું કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ કારણ કે “ભાજપ આવતીકાલે સત્તામાં નહીં હોય”. તેમણે દાવો કર્યો કે, “આગામી લોકસભાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચ 2024માં યોજાશે. ભાજપ સરકારનો કાર્યકાળ માત્ર છ મહિનાનો છે.

રેલીમાં, બેનર્જીએ સરહદી વિસ્તારોમાં કથિત BSF ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાનું વળતર અને નોકરીની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે હું બીએસએફના તમામ અધિકારીઓને દોષી ઠેરવતી નથી. તેઓ આપણી સરહદોનું રક્ષણ કરે છે. પરંતુ બીએસએફે નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ કારણ કે આવતીકાલે ભાજપ ભલે સત્તામાં ન હોય, પરંતુ તેઓએ તેમનું કામ કરવાનું ચાલુ રાખવું પડશે.

બેનર્જીએ સોમવારે બીએસએફ પર ભાજપના ઈશારે સરહદી વિસ્તારોમાં મતદારોને ડરાવવાનો આરોપ મૂક્યો હતો, જેના પર કેન્દ્રીય દળે સખત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે “સત્યથી દૂર” છે.

પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈએ પંચાયત ચૂંટણી માટે મતદાન થશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0